રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૪.૨૦૨૪
યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી ના આઠમા નોરતે હવન કરવાની પરંપરા વડોદરા નજીક આવેલા ભાયલી કોયલી મહાકાળી મંદિર સાથે જોડાયેલી છે.અહીં આવેલા બાળ કાલીકા મંદિર માંથી હવન પડીકું અને શ્રીફળ લઈ આવતો રથ આવ્યા પછીજ પાવાગઢ વાળી મહાકાળી ના મંદિરે હવન પૂજા શરૂ કરવામાં આવે છે.અને અહીં ના મંદિર માંથી આપવામાં આવતું શ્રીફળ ભાયલી કોયલી બાળ કાલિકા મંદિરે ગયા પછી ત્યાં હવન પૂજા કરવાની સદીઓ જૂની પરંપરા છે.આજે અનેક ભકતો સાથે આ રથ હાલોલ માં આવતા મોટી સંખ્યામાં લોકો દર્શને ઉમટી પડ્યા હતા અને માતાજી નું મોરપીચ્છ માથે લગાવવા લાઈનમાં લાગ્યા હતા.વડોદરા નજીક આવેલા ભાયલી કોયલી ગામે આવેલા મહાકાળી ના બાળ સ્વરૂપ ના મંદિરે થી પેઢી દર પેઢી આ પરંપરા ચાલી રહી છે. અઢીસો,ત્રણસો વર્ષ થી ચાલી આવતી પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજી ના બાળ સ્વરૂપ ના મંદિર માંથી હવન પડીકું અને શ્રીફળ સાથે એક સંઘ માતાજી સાથે રથ લઈ પગપાળા પાવાગઢ ખાતે આવે છે.અને સાતમા નવરાત્રી એ હાલોલ પહોંચે છે.હાલોલ નગરમાં આવેલા મહાકાળી માતાજી ના મંદિરે રથ માં સવાર થઈ આવેલા માતાજી ના હાથે પાણીનો દીવો, કંકુથાપા કરવામાં આવે છે.અને હિન્દૂ પરંપરા મુજબ શરૂ થતું નવુ વર્ષ કેવું રહેશે તે અંગે માતાજી પરચો આપે છે.આ દરમ્યાન હાલોલ નગરમાં મોટી સંખ્યા માં લોકો આ રથ આવવાની આતુરતાથી રાહ જોતા હોય છે.અને રથ માં આવતા માતાજી ના દર્શન કરી તેમના હાથે મોરપીચ્છ નું ઝાડુ મારવા અનેક ભક્તો કતારો લગાવે છે.હાલોલ મહાકાળી મંદિરે થી રાત્રે માતાજી નગરજનો ને દર્શન આપતા આપતા પાવાગઢ રોડ ઉપર આવેલા સિંધવાઈ માતાજી ના મંદિરે જાય છે ત્યાં પણ પાણીનો દીવો પ્રગટાવી, કંકુથાપા કરી રાત્રે હવન પૂજા અને આરતી કરીને પગપાળા ચાલતા ભક્તો ને દર્શન અપાતા આપતા પાવાગઢ મહાકાળી ધામ પ્રસ્થાન કરે છે.અનેક ભક્તો સાથે આવેલો આ ભાયલી કોયલી નો સંઘ વહેલી સવારે સ્નાન કરી મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી ધજા હવન પડીકું અને શ્રીફળ માતાજીને ચડાવવામાં આવે છે. આ શ્રીફળ પાવાગઢ મંદિરે વહેલી સવારે પહોંચ્યા પછી જ માતાજી ના હવન પૂજા ની શરૂઆત કરવામાં આવે છે. અને પાવાગઢ મંદિરે થી જે શ્રીફળ આપવામાં આવે છે એ શ્રીફળ લઈ આ સંઘ બપોર સુધી ભાયલી કોયલી બાળ મહાકાળી મંદિરે પહોંચે છે અને ત્યાં હવન પૂજા શરૂ કરવાની સદીઓ જૂની પરંપરા છે.આજે આ પરંપરા મુજબ બાળ માતાજી ના મંદિરે થી નીકળેલો રથ હાલોલ માં આવ્યો હતો જ્યાં ભારે ભીડ માતાજી ના દર્શન અને ઝાડુ નંખાવવા માટે ઉમટી હતી. અને મોરપીચ્છ માથે લગાવવા કતાર માં લાગ્યા હતા.માઇભક્તો માં એવી આસ્થા છે કે ભાયલી કોયલી વાળા માતાજી નું મોર પિચ્છ માથે લગાવવાથી જીવન ધન્ય બની જાય છે અને વર્ષ દરમ્યાન આધિ વ્યાધિ અને ઉપાધિઓ માંથી મુક્તિ મળે છે.