ANANDANAND CITY / TALUKO

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના અજરપુરા અને સામરખા ગામો ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયાં

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના અજરપુરા અને સામરખા ગામો ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયાં

તાહિર મેમણ આણંદ – 19/04/2024- શુક્રવાર સમગ્ર દેશમાં લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આણંદ લોકસભા મતવિસ્તાર તથા ખંભાત વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં આણંદ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૬-આણંદ સંસદિય મતવિસ્તારના સાત વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી અધિકારી શ્રી શિવાંગી શાહ દ્વારા અજરપુરા અને સામરખા ગામની પ્રાથમિક કુમાર શાળા ખાતે “હું મતદાન અવશ્ય કરીશ” સૂત્ર હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાયાં હતાં. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના તમામ ગામો ખાતે મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

અજરપુરા અને સામરખા ગામોએ યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. તેમજ “મારૂં મતદાન મારો અધિકાર” રંગોળી બનાવીને અને રેલી યોજીને ગ્રામજનોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતાં.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં ગામના તલાટી, શાળાના આચાર્ય, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકર બહેનો, સખીમંડળની બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!