
તા. ૦૭. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા નવોદયના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે. જેમાં ધોરણ -5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય પરીક્ષા, સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા,NMMS પરીક્ષા,CET પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરાવવામાં આવે છે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા સંજેલી ખાતે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નવોદય ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે પુસ્તકો એ સારા મિત્રની ગરજ સારે છે, પુસ્તકો ના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા. અનાંથ, અપંગ અને અતિગરિબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને જરૂરી મટીરીયલ આપવામાં આવશે તેવું તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે જણાવ્યું હતું. પુસ્તક વિતરણ કાર્યક્રમમાં ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપના સભ્યો રાજુભાઈ મકવાણા અને અશ્વિનભાઈ સંગાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા




