MORBI:મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં આરોપીનો નીર્દોષ છુટકારો
MORBI:મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં અપહરણ-દુષ્કર્મ કેશમાં આરોપીનો નીર્દોષ છુટકારો
આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી સતીષે લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીર વયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.તેવી હળવદ પોલીસમાં ફરીયાદ કરવામાં આવેલ હતી.આ ફરીયાદના કામે પોલીસે આરોપી તરીકે સતીષભાઈ ધુડાભાઈ ઝંઝુવાડીયાની ધરપકડ કરી હતી.
આ કામના આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી જીતેનભાઈ ડી. અગેચાણીયા રોકાયેલ હતા.આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગ બનનાર, ભોગ બનનારના માતા-પિતા તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ દલીલ-પુરાવાના અંતે આરોપીના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદીએ આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરેલ છે.આરોપી તદન નીર્દોષ છે.જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ.કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ.જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદી પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તેમ કરવામાં તેઓ સંપુર્ણ નીષ્ફળ રહેલ છે.જેથી આરોપીને સજા ન કરી શકાય.તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારવા આ કામના આરોપી સતિષને ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(ર) આઈ, ૧૧૪ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૩(એ), ૪, ૬, ૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જાણીતા એડવોકેટ જીતેન અગેચાણીયા, દિલીપભાઈ અગેચાણીયા, જે.ડી.સોલંકી, રિવ ડી.ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.