ANANDANAND CITY / TALUKOGUJARAT

ખંભોળજ ખાતે દાદા દાદી અને વડીલનો વિશ્ર્વ દિન ની ઉજવણી કરવામાં આવી

ખંભોળજ ખાતે દાદા દાદી અને વડીલનો વિશ્ર્વ દિન ની ઉજવણી કરવામાં આવી.

તાહિર મેમણ – આણંદ – 28/07/2024- 28 જુલાઈ 2024 રવિવારના રોજ 8.30 કલાકના બાદ 10 વાગે મોટા દેવા લઈને અંદર દાદા-દાદી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વક્તા તરીકે નડિયાદના શૈલેષ ખ્રિસ્તી આવ્યા હતા આવકાર ઉપ-પ્રમુખ ડો. શૈલેષ વાણીયા શૈલ દ્વારા. પ્રાર્થના રેવ. ફાધર સભા પુરોહિત ફાન્સિસ રેક્સ દ્વારા બેઠક વ્યવસ્થા ગામડીના યુવાનો બે યુવાનો સહયોગ સિસ્ટર શેરોન દ્વારા પરિચય બાદ ક્રમશઃ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બે જૂથ પાડીને તેઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તેમાં રાજુભાઈ ઓડવાળા મદદરૂપ બન્યા. 10:00 વાગે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ સુંદર રહ્યો 141 ની સંખ્યા પેરિસમાંથી ઉમટી પડી હતી. 12:35 વાગે વક્તા શ્રી નો પરિચય ડો. શૈલેષ વાણીયા શૈલદ્વારા તેઓના હાથે 85 વર્ષ અને 86 વર્ષના બે વડિલો ભરોડા અને રાસનોલ ગામના તેઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના વક્તા શૈલેષભાઈ નું પુષ્પ ગુચ્છ થી સન્માન રેવ. ફાધર ફાન્સિસ રેક્સ દ્વારા અંતિમ પ્રાર્થના સભા પુરોહિત દ્વારા આભાર વિધિ ઉ. પ્રમુખ દ્વારા. 1.45 વાગ્યે ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી વડીલોના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળ્યો, મોટી સંખ્યાની અંદર તેઓએ ભાગ લીધો હતો ક્યારે મળવું તેવી ચર્ચા મોહે મોહે કરતા હતા. અનાથની માતા નો જય

Back to top button
error: Content is protected !!