DAHODGUJARAT

દાહોદના બે પેટ્રોલપંપ ઉપર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઇ

તા.૩૦.૦૮.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદના બે પેટ્રોલપંપ ઉપર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઇ

દાહોદના બે પેટ્રોલપંપ પર દાહોદ મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.જોકે બંને પેટ્રોલપંપ ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતી સામે આવી નહોતી જે બાદ મામલતદાર સહિતની ટીમ પરત રવાના થઈ હતી

દાહોદના મામલતદાર મનોજ મિશ્રાએ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ માતૃછાયા પેટ્રોલપંપ તેમજ દાહોદ તાલુકાના રાબડાળ રૂરલ પોલીસ પથક ની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર ઓચિંતી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી જેમાં કોઈ શકબંધ વસ્તુ સામે ન આવ્યું હતું તંત્રના વિશ્વસિનિય સૂત્રો દ્વારા જાણવા મળેલ આ રૂટીન ચેકિંગ હતું.જેમાં પેટ્રોલ પંપ ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ તો આચરવામાં નથી આવતી ને અથવા તો સરકાર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ અને નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ તે અંગેની તપાસ અર્થે આજરોજ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!