સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આજરોજ શિક્ષક દિનની ઉજવણી થઈ જેમાં ધોરણ 1 થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયના શિક્ષક બનીને વર્ગખંડમાં ખૂબ જ સરસ રીતે શિક્ષણ કાર્ય કર્યું પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ચેતનાબેન જે મકવાણા તથા માધ્યમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ બી પરમારના માગૅદશૅન દ્વારા સમતા વિદ્યાવિહારના સમગ્ર શિક્ષક ગણ અને પ્રાથમિક તથા માધ્યમિક શાળાના બાળ શિક્ષકોની ગ્રુપ મીટીંગ કરીને દરેક બાળ શિક્ષકોના અભિપ્રાયો મેળવ્યા.આજના શિક્ષક દિન નિમિત્તે બાળ શિક્ષકો દ્વારા બાળકોએ ખૂબ જ રસ પૂર્વક શિક્ષણ મેળવ્યુ. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકીએ બાળશિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.





