BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકના થરામાં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા નિદાન તથામોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી જલારામ મંદિર પરિસરમાં તા.૨૩/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ

કાંકરેજ તાલુકના થરામાં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા નિદાન તથામોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી જલારામ મંદિર પરિસરમાં તા.૨૩/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ,શ્રી જલારામ મંદિર થરા તથા શ્રીકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા,ગૌ સેવા માનવ સેવા મંડળ થરા,શ્રી શિહોરી વેપારી વિકાસ મંડળ શિહોરીના સંયુક્ત ઉપક્રમે આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતીયાનો વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ સ્વ. મુક્તાબેન ચરતલાલ શિવરામભાઈ ઠક્કર (ગોકલાણી) પરિવારના હર્ષદભાઈ ઠક્કર /નિરંજનભાઈ ઠક્કરના અથાગ સહયોગ દ્વારા કાંકરેજ તાલુકા દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી પ.પૂ.ધ.ધુ. શ્રી ૧૦૦૮ શ્રી બળદેવનાથજીબાપુ ગુરૂશ્રી વસંતનાથજી બાપુની પાવન નિશ્રામાં બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સુખદેવસિંહ સોઢા,એ.પી.એમ.સી. થરાના પૂર્વચેરમેન અણદાભાઈ આર.પટેલ,થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી મહેમાનોને શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ સહીત આયોજકોના હસ્તે ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.કેમ્પમાં રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડૉ.સીતારામભાઈ ઝાપડિયા (આ.સી.), પ્રવીણભાઈ ઝાપડિયા સહિત તેમની ટીમે લગભગ ૩૨૫ દર્દીઓની તપાસ કરી જેમાં ૧૪૮ આસપાસથી વધુ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરવાની જરૂર જણાતાં આજે એક લકઝરી બસ દ્વારા ૫૫ દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં મફત સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતીયાના દર્દીઓને આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવશે સાથે સાથે દવા,ટીંપા,ફ્રીમાં આપવામાં આવશે. દર્દી તથા સાથે જનાર સગા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.બાકીના દર્દીઓને બે-ત્રણ દિવસ પછી લઈ જવામાં આવશે.વગર ભાડે પરત મુકવામાં આવશે.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ, વસંતજી ઘાઘોસ,તરૂણભાઈ ઠક્કર,રાજુ લાટી,વિજયભાઈ ટેસ્ટી,શ્રી જલારામ મંદિર થરા તથા શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટના કાર્યકરો દેવ પુરોહિત,લાલાભાઈ ભાટી સહિત અનેક સેવભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડેલ ત્યારે તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર,પૂર્વ સરપંચ ગણપતભાઈ ગૌસ્વામી સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

 

Back to top button
error: Content is protected !!