
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ‘આત્મા’ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં પણ વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામ ખાતે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર સુરેખાબેન પટેલ જણાવે છે એમ આ પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક પશુપાલકો ,ખેડૂતો અને બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રાસવાડ ગામના ખેડૂતોના સહકારથી આજની તાલીમ મહત્વની રહી હતી અને તાલીમ આપનાર અધિકારી એ ખૂબ સારી રીતે તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું
આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ તેનું મહત્વ સમજાવવામાં ગ્રામસેવક પરમાર , ત્રાંસવાડના ગ્રામસેવક ભરતસિંહ રાજપુત દ્રારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તાલીમમાં ઉપસ્થિત પશુપાલકો અને ખેડૂતોએ દેશી ગાય આધારિત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી ના પાંચ આયામો અંગે પ્રશ્નોત્તરી કરી હતી.




