
તા.૨૦.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીનાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે ગુરુ ગોવિંદ મહારાજ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવ
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર ખાતે કાર્યરત છે જેમાં ધોરણ -૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે અને સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ મકવાણાએ તાલીમ વર્ગ ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને સમાજ સુધારક ગુરુ ગોવિંદ મહારાજના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. મોરા ખાતે અશ્વિનભાઈ સંગાડા અને સુખસર ખાતે રાજુભાઈ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને ગુરુ ગોવિંદ મહારાજના જન્મ જયંતી નિમિતે બાળકોને માહિતી આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ ગુરુ ગોવિંદ મહારાજની જય સાથે યાદ કર્યા હતા અને દબદબાભેર ગુરુ ગોવિંદ મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરી હતી





