BANASKANTHAPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા,શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પાલનપુર દ્વારા આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રી શ્રી હરિભાઈ સોલંકીએ આ કાર્યક્રમમાં પધારેલ શ્રી રાકેશભાઈ ડોડીયા એડવોકેટ, ગ્રાહક સુરક્ષા સલાહકાર, શ્રી મગનભાઈ પાલા પ્રમુખશ્રી ગ્રાહક,સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પાલનપુરનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. ત્યારબાદ એડવોકેટ શ્રી રાકેશભાઈ ડોડીયાએ ગ્રાહક સુરક્ષા કાયદા અંગે તથા ગ્રાહક સુરક્ષા અધિકારની વિવિધ વ્યવહારુ ઉદાહરણો આપીને આ કાર્યક્રમમાં પધારેલ ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને માર્ગદર્શન આપ્યું. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ ગ્રાહક સુરક્ષા કાયદાનો આપણે ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે પોતાના ઉદાહરણથી સમજાવેલ.ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકમાં થતી કેટલીક ભેળસેળ માટેના ઘરગથ્થુ ઝડપી કસોટીઓનું નિદર્શન આવેલ “ફુડ સેફટી ઓન વ્હીલ્સ”વાનના માર્ગદર્શકશ્રી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બતાવવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય જગદીશભાઈ પરમાર અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ જે પરમારે કર્યું
કેળવણી મંડળના પ્રમુખશ્રી, મહામંત્રી,શ્રી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રીએ આજના કાર્યક્રમને બિરદાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!