ANANDGUJARATUMRETH

ઉમરેઠ શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ભક્તિભેર ઉજવણી:કિર્તન,પ્રભાતફેરી સહિત શોભાયાત્રા અને વિશેષ દર્શનનું આયોજન.

તસ્વીર: કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ: ઉમરેઠ

ઉમરેઠ ખાતે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ ની ઉજવણી શ્રી મથુરદાસ ભીખાભાઈ શાહ તડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૬ કલાકે વૈષ્ણવ મંદિર થી પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારે ૧૦ કલાકે પલના , તિલક ત્યાર બાદ રાજભોગ દર્શન નું વિશેષ આયોજન સાત સ્વરૂપ ની હવેલી, મોટા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. બપોરે ૨.૩૦ કલાકે નગરની એકડીયાની વાડી કાતે ભવ્ય કીર્તન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ ૩.૩૦ કલાકે શોભાયાત્રા નિકળી હતી જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી શોભાયાત્રાનું વૈષ્ણવો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!