MALIYA (Miyana):આખરે માળિયા મીયાણા ચાલતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો
MALIYA (Miyana):આખરે માળિયા મીયાણા ચાલતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો
(રીપોર્ટ કાસમ ભાઈ સુમરા માળીયા)
જેમાં માળીયા મિયાણા શહેરના સામાજિક કાર્યકર ઉપવાસ ઝુલફીકાર સંધવાણી દ્વારા માળીયાના સ્થાનિક પાંચ પ્રશ્નોને લઈને આદોલન છેડવામાં આવ્યું હતું જેમાં બસ સ્ટેશન નવ નિર્માણ એસ એસી બોડૅ પરીક્ષા નું કેન્દ્ર ફરીથી શરૂ કરવું રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ અને સ્ટાફ કવાટર અને ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી શહેરની મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું રેલ્વે જંકશન પરથી પસાર થતી તમામ ટ્રેનો નો સ્ટોપ આપવો જેવી એમની પાંચ માંગણી હતી જે માંગણી ઓને લઈને 24- 2-2025 ના રોજ તે સામાજિક કાર્યકર ઝુલફીકાર સંધવાણી દ્વારા ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું જ્યારે ગત કાલે એમની ઉપવાસ દરમિયાન તેમની તબિયત લથડતા શહેરી જનોએ એમના રોષમાં માળીયા મિયાણા સંપૂર્ણ ઘંઘા રોજગાર બંઘ રાખી આક્રોશ દર્શાવ્યો હતો જ્યારે તબિયત સુધરતા આજ રોજ સરકારી તંત્ર દ્વારા માળીયા મામલતદાર હસ્તક પાંચે પાંચ માગણીઓની લેખિતમાં ખાતરી આપી એમના પારણા કરવામાં આવ્યા હતા