કાલોલના મધવાસ ગામના યુવકે અને તેની રખાત પ્રેમિકા બન્ને મળી ને પરણેત પત્ની ને માર મારતાં મહિલા પોલીસ મથકે ફરીયાદ

તારીખ ૧૯/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પતી પત્ની અને વો ના કિસ્સામાં માસૂમ બાળકીનુ તથા પરણિતા નુ જીવન અંધકારમય
કાલોલ તાલુકાના મધવાસ ગામના દલિત સમાજના અગ્રણી નો પુત્ર એવા એક યુવક ના લગ્ન ૧૬ વર્ષ પહેલાં થયાં હતાં પરંતું છેલ્લા ૪ એક વર્ષ થી તેઓને એક રખાત પ્રેમિકા કે જે પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ પુત્ર સાથે કાલોલ રહે છે તેની સાથે આંખ મળી જતાં તેઓની પરણેત પત્ની અને એક ૧૩ વર્ષ ની દિકરી ને હાલ ચાર મહિના થી પિયર વાટ પકડાવી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક પરણેત પર સ્ત્રીને આંખ મળી જતાં તેઓના પ્રેમ મા ડૂબી જતાં છેલ્લા ચાર વર્ષથી પત્ની ને મારઝૂડ કરી હેરાન પરેશાન કરતો હતો યુવક હાલ ડેરોલ સ્ટેશન રોડ પર આવેલી સંજીવની હોસ્પિટલ ની ક્રિષ્ના લેબ માં નોકરી કરે છે જેથી પત્ની એ પોતાના પિયર પક્ષ ને જાણ કરી ને સમાજ ના સામાજીક પંચો ત્રણ વાર ભેગા થયાં હતા અને સામાજીક પંચો રૂબરૂ લેખિત લખાણ કરી સમાધાન પણ કર્યું હતું અને ૨૧ દિવસ ભાગી ગયા હતા જેની વિરૂદ્ધ માં યુવક ની પરણેતર પત્ની એ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી ત્યારે તેઓ મળી આવ્યાં હતાં તથા ફરી આવી હરકત બનતા તા: ૧૦/૦૨/૨૦૨૫ ના રોજ ફરી ફરીયાદ નોંધાવી હતી ત્યાર બાદ જામીન પર આ બંનેને છોડવા માં આવ્યાં હતાં આ યુવક અને તેની રખાત પ્રેમિકા ને થોડા દિવસ પહેલા રામકૃપા સોસાયટી ડેરોલ સ્ટેશન રોડ પર આવેલા ભાડા ના મકાનમાંથી બન્ને પ્રેમીઓ ને રૂબરૂ પકડ્યા હતા જે બાબતે ઉશ્કેરાઈ ને આ બન્નેએ પરણિતા ને બન્ને જણે થઈ મૂઢ માર માર્યો હતો અને રખાતે જાતિ વિષયક અપમાન પણ કર્યું હતુ જે બાદ સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં પરણેતર ના જીવનું જોખમ હોય આ બાબતે ની પત્ની એ કાલોલ પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી હતી જ્યાં આ અગાઉની ૧૦/૨/૨૦૨૫ ની ફરિયાદોના જામીન રદ્દ કરવામાં આવ્યાં હતાં અને રૂ.૨૦૦૦૦ નો દંડ એસ. બી. આઈ બેંક માં ચલણ દ્વારા ભરાવ્યો હતો આ બાબતે તેઓની રખાત પ્રેમિકા સાથે જ જીવવા માગે છે જેથી ફરિયાદી એ મહિલા પોલીસ સ્ટેશન ગોધરા ખાતે તેમજ કોર્ટ નો પણ સહારો લીધો છે અને કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યું હતું આ બન્ને પ્રેમીઓ (આરોપી) ઓ વિરૂદ્ધ હવે આગળ ના શું પગલાં લેવામાં આવે તે જોવા નો વારો આવ્યો છે. સાંપ્રત સમાજની ડિવોર્સી અને એક પુત્ર ની માતા નો કિસ્સો ખૂબ ચર્ચામાં છે. લગ્ન બાદ ના સંબધો ભારતીય કાયદામાં વ્યભિચાર તરીકે ગણવામાં આવે છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી પોતાની પત્ની અને માસુમ દીકરીને રઝળતી કરી પોતાની ઐયાસ જીંદગી જીવતા આ પતી સામે પરણિતા પોતાના હક્ક માટે જંગે ચડી છે અને વ્યભિચારી જીવન જીવતા પતી સામે તથા પોતે પોતાનુ ઘર ભાંગી ડિવોર્સ લઈ હવે અન્ય પરણિતા નુ ઘર ભાગનાંર મહિલા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.




