હાલોલ ટાઉન પોલીસ મથકે ભગવાન શ્રી જગન્નાથજીની 39 મી રથયાત્રાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૬.૨૦૨૫
હાલોલ શહેર ખાતે આગામી તારીખ 27 મી જૂન શુક્રવારે યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની 39 મી રથયાત્રાનું ભવ્ય આયોજન શ્રી જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ધૂમધામ પૂર્વક રંગે ચંગે કરવામાં આવ્યું છે.જેમાં હાલોલ શહેર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને નગરમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાયેલી રહે તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોમી ભાઈચારા વચ્ચે નગર ખાતે રંગે ચંગે યોજાય તે વિષય અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથક ખાતે હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં રથયાત્રા ઉત્સવ સમિતના હોદ્દેદારો તેમજ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ની હાજરીમાં આજે શુક્રવારે સાંજના 6 વાગ્યાના સુમારે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં પી.આઈ. કે.એ.ચૌધરી દ્વારા ઉપસ્થિત અગ્રણીઓને વિવિધ સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








