GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “Yoga For One Earth, One Health” થીમ અન્વયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

તા.૨૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

Rajkot: તા.૨૧ જૂન “Yoga for One Earth, One Health” થીમ અન્વયે ૧૧માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, શાળા નં.૯૪ની બાજુમાં, વિમલનગર મેઈન રોડ ખાતે શનિવારે સવારે ૦૬ કલાકથી સવારે ૦૮ કલાક સુધીમાં કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સર્વે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી ગીતાબા જાડેજા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જીતુભાઈ સોમાણી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરાર્થીઓ માટે સામાન્ય સૂચના આપવામાં આવી છે. જે અન્વયે નાગરિકોએ સવારે ખાલી પેટે આવવાનું રહેશે. દરેક નાગરિકે ખુલ્લો, સારો પોશાક પહેરવો આવશ્યક છે. બરમુડા, ટૂંકા વસ્ત્રોની મનાઈ છે. મહિલાઓએ સલવાર કુર્તા ડ્રેસ પહેરવાનો રહેશે. જેથી, યોગ અભ્યાસ માટે સાનુકૂળતા રહે. શક્ય હોય તો સફેદ વસ્ત્રો પહેરવાના રહેશે. નાગરિકોએ સમયથી ૩૦ મિનિટ વહેલા આવી સ્થાન મેળવી લેવાનું રહેશે. શિબિરમાં પહોંચવાનો સમય સવારે ૦૫.૩૦ કલાકનો રહેશે. દરેક નાગરિકે શરીરની અનુકૂળતા મુજબ જ યોગ અભ્યાસ કરવાનો રહેશે. જરૂર જણાય તો નિર્દેશક અથવા સ્વયંસેવકોનો સંપર્ક કરી શકાશે. ત્યારે રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોને યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!