GUJARATKARJANVADODARA

સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડાયું, નર્મદા નદી બે કાંઠે

નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો વડોદરા જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા.

નરેશપરમાર. કરજણ-

સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડાયું, નર્મદા નદી બે કાંઠે

નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો વડોદરા જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા.

  1. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. પાણીની સતત આવક થતાં બે દિવસમાં 5.72 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.નારેશ્વર ખાતે નર્મદા નદીમાં પણ પાણીની આવક થતા નારેશ્વર ના કિનારે આવેલ ઓવરા ના પગથિયાં પર પાણી આવી ગયું હતું છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. જેને પગલે નર્મદા નદીકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે થઈ છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવમાં આવ્યું છે. સિઝનમાં પ્રથમવાર આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 133.48 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 4,33,420 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 4,02,756 કયુસેક પાણીની જાવક નોંધાઈ છે.

Back to top button
error: Content is protected !!