MEHSANAVIJAPUR

વિજાપુર ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા ટીબી ભારત માતા ના મંદિર થી ધારાસભ્ય ની અધ્યક્ષતા મા તિરંગા યાત્રા નીકળી સરદાર પટેલ ના બાવલા ને સૂતર પહેરાવી તિરંગાયાત્રા દેશ ના શહીદ વીર જવાનો ને સમર્પિત કરાઇ

વિજાપુર ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા ટીબી ભારત માતા ના મંદિર થી ધારાસભ્ય ની અધ્યક્ષતા મા તિરંગા યાત્રા નીકળી
સરદાર પટેલ ના બાવલા ને સૂતર પહેરાવી તિરંગાયાત્રા દેશ ના શહીદ વીર જવાનો ને સમર્પિત કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા ની ઉજવણી ના ભાગ રૂપે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ 2025 અંતર્ગત તિરંગા યાત્રા ધારાસભ્ય સીજે ચાવડા ની અધ્યક્ષતા મા ટીબી ભારત માતા ના મંદિર થી નીકળી સરદાર પટેલ બાવલા સુધી નીકળી હતી. જ્યાં ધારાસભ્ય સીજે ચાવડા એ સરદાર પટેલ ના બાવલા ખાતે સૂતર આંટી પહેરાવી દેશના શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાની અને વીર જવાનો ને તિરંગા યાત્રા સમર્પિત કરવામાં આવી હતી તિરંગા યાત્રા મા શાળાના ભણતા બાળકો શિક્ષક મીત્રો તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણ ભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પી આઇ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ ભાજપના શહેર પ્રમુખ સહિત રાજકીય આગેવાનો કાર્યકરો સહીત મોટી સંખ્યા માં જોડાયા હતા. તિરંગા યાત્રા મા રાષ્ટ્રીય ગાન દેશ ભક્તિ ના ગીતો ગાઈને સમગ્ર વિસ્તાર રાષ્ટ્રીય ભક્તિ રંગ મા રંગાયો હતો

Back to top button
error: Content is protected !!