GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
તાપી કે તારે પ્રોજેકટ હેઠળ 28 આદિવાસી વિધાર્થીઓ ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવ્યા…

વાત્સલ્યમ સમાચાર
તાપી
‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવી પહોંચ્યા…

આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ વિદ્યાર્થીઓને આવકાર્યા, તેઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા તેમજ રોચક અનુભવો જાણ્યા..
તાપીના તારલાઓએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા…તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી; રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે: આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી




