AHAVADANG

પશુ વિજ્ઞાન કેન્દ્ર,વઘઈ દ્વારાપશુપાલકો માટે”પશુરહેઠાણની ઉત્પાદકતા પર અસર”અંગેની વિશેષ તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા તથા આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ડાંગના સયુંકત ઉપક્રમે “પશુરહેઠાણની ઉત્પાદકતા પર અસર” વિષયક એક દિવસીય તાલીમ કાર્યક્રમ આજરોજ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જમન્યામાળ ગામ, સુબીર, ડાંગ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં કુલ 45 પશુપાલકોએ ભાગ લઈ વૈજ્ઞાનિક પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યક્રમની શરૂઆત ડૉ. સુનીલ કાપડ પશુચિકીત્સા અધિકારી ડૉ. સુનીલ કાપડી એ પશુપાલકોના સ્વાગત અને સન્માનથી કરી હતી.મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મહેશ માઢવાતર એ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી પશુપાલકો ને માહિતગાર કર્યા હતા જ્યારે મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જીગર વી. પટેલ એ આદર્શ પશુ રહેઠાણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. ઉત્સવ સુરતી મદદનીશ પ્રાધ્યાપક એ પશુરહેઠાણની ઉત્પાદકતા પર અસર વિસ્તૃત રીતે સમજાવી હતી. તાલીમના અંતે, ડૉ. ઉત્સવ સુરતી અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા ઉપસ્થિત પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે. આ સમગ્ર કાર્યક્રમ ડૉ. રાણા રણજીત સિંહ (ઇન્ચાર્જ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ  (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. એમ. એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને  આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.

Back to top button
error: Content is protected !!