
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
એક ભારત, શ્રેષ્ઠ ભારતના સુત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીશ્રીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યાં …
સરદાર વલ્લભભાઇ પટેલએ દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓના સન્માનમાં દર વર્ષે તા. ૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ અન્વયે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે નવસારી જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં વહીવટીતંત્રના અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવ્યા હતા.






