GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી

તા.5/11/2025

વાત્સલયમ્ સમાચાર

રાજ્ય સરકાર દ્વારા તા. ૭થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન

રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કુલ ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં ભ્રમણ કરશે રથયાત્રા

રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો અને ધારાસભ્યો થશે સહભાગી થશે

Rajkot: ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-૧ ઉમરગામથી એકતાનગર સુધી ૬૬૫ કિમી અને રૂટ નં-૨ અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિમી એમ કુલ ૧,૩૭૮ કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લઈ ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડાના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’નું રાજ્યના ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

 

‘જનજાતીય ગૌરવ રથયાત્રા’ની વિગતો

 

રૂટ નં. ૧

દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)

રથયાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરી સંજાણ, ભીલાડ, વાપી, પારડી, નાનાપોંઢા અને ધરમપૂર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી અરવિંદભાઇ પટેલ અને શ્રી રમણભાઈ પાટકર સહભાગી થશે.

 

દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)

રથયાત્રા વલસાડના ધરમપુરથી પ્રસ્થાન કરી નવસારીના ખેરગામ, રૂમલા, રાનકુવા, સુરતના અનાવલ, ઉનાઇના ભીનાર અને નવસારીના વાંસદા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે શ્રી મોહનભાઇ ઢોડિયા અને શ્રી અરવિંદભાઇ પટેલ સહભાગી થશે.

 

દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)

રથયાત્રા નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરી ડાંગના વઘઇ, ઝાવડા, તાપીના ડોલવણ, જેસીંગપુરા અને વ્યારા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે શ્રી મોહનભાઇ ઢોડિયા, શ્રી મોહનભાઇ કોંકણી અને શ્રી વિજયભાઇ પટેલ સહભાગી થશે.

 

દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)

રથયાત્રા તાપીના વ્યારાથી પ્રસ્થાન કરી સોનગઢ, ભંડભુજા, ઉચ્છલ, નારણપુર, રૂમકીતળાવ, વેલદા ટાંકી અને નિઝર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ, અધ્યક્ષ તાપી શ્રી સુરજભાઈ વસાવા, જિ.પં. પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા સહભાગી થશે.

 

દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)

રથયાત્રા તાપીના કુંકરમુંડાથી પ્રસ્થાન કરી નર્મદાના જાવલી, સાગબારા, ચીકદા, સુરતના ઉમરપાડા, માલધાફાટા, સઠવાવ અને માંડવી આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વે શ્રી દર્શનાબેન દેશમુખ અને શ્રી કુંવરજીભાઈ હળપતિ સહભાગી થશે.

 

દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)

રથયાત્રા સુરતના માંડવીથી પ્રસ્થાન કરી અરેઠ, તડકેશ્વર, નાની નરોલી, માગરોળની મોસાલી, વાંકલ, ઝંખવાવ, વાડી, વાલીયાની ડેઇલી, વાલીયા, તલોદદ્રા અને ઝઘડીયા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલ, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી કુંવરજીભાઈ હળપતિ અને રિતેશભાઈ વસાવા સહભાગી થશે.

 

દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)

રથયાત્રા ભરૂચના નેત્રંગથી પ્રસ્થાન કરી નર્મદાના મોવી, રાજપીપળા અને એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહૂતિ થશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલ, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, ધારાસભ્ય સર્વે શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી કુંવરજીભાઈ હળપતિ અને રિતેશભાઈ વસાવા સહભાગી થશે.

 

રૂટ નં. ૨

દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)

રથયાત્રા બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી પ્રસ્થાન કરી પોસીના, ખેરોજ, ખેડબ્રહ્મા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ શ્રીમતી રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

 

દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)

રથયાત્રા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી પ્રસ્થાન કરી નાકા, અંદ્રોખા, વિજયનગર, પાલ, ચિઠોડા, અરવલ્લીના ભીલોડા અને શામળાજી આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ શ્રીમતી રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

 

દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)

રથયાત્રા સાબરકાંઠાના શામળાજીથી પ્રસ્થાન કરીને અરવલ્લીના મેઘરજ, માલપુર, બાબલીયા, ડીંડવાસ, કડાણા અને સંત્રામપુર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે શ્રી જશવંતસિંહ ભાભોર અને શ્રીમતી રમિલાબેન બારા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

 

દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)

રથયાત્રા સંત્રામપુરાથી પ્રસ્થાન કરીને સુખસર, ઝાલોદ, દાહોદના કોબોંઇ ધામ, દાહોદ, ગરબાડા, ધાનપુર, લીમખેડા આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વે શ્રી મહેશભાઇ ભૂરિયા અને શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી સહભાગી થશે.

 

દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)

રથયાત્રા દાહોદ જિલ્લાના લીમખેડાથી પ્રસ્થાન કરીને બાડીબાર, મોરા, મોરવાહડપ, સંત્રોળ, ભંમૈયાપૂર્વ, સિમેલ્યા, ઘોઘંબા, પાવાગઢ આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે શ્રી જશવંતસિંહ ભાભોર અને શ્રી, જશુભાઇ રાઠવા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી અને ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહભાગી થશે.

 

દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)

રથયાત્રા પંચમહાલ જિલ્લાના પાવાગઢથી પ્રસ્થાન કરીને નારૂકોટ, પંચમહાલના જાંબુઘોડા, બોડેલી, જેતપુર પાવી, તેજગઢ, છોટાઉદેપુર આવીને રાત્રિ રોકાણ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે શ્રી જશવંતસિંહ ભાભોર અને શ્રી, જશુભાઇ રાઠવા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી અને ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહભાગી થશે.

 

દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)

રથયાત્રા ક્વાંટથી પ્રસ્થાન કરીને નસવાડી, એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહુતિ કરશે. આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા, મંત્રી શ્રી રમેશભાઇ કટારા, રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, પૂર્વ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદ સર્વે શ્રી મનસુખભાઇ વસાવા, શ્રી જસવંતસિંહ ભાભોર, શ્રી જશુભાઇ રાઠવા, શ્રી ધવલભાઇ પટેલ, શ્રી પરભુભાઇ વસાવા, શ્રીમતી રમિલાબેન બારા,પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ, દંડક શ્રી વિજયભાઇ પટેલ, તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના અધ્યક્ષશ્રી, પ્રદેશ હોદેદારશ્રીઓ, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓ, અને તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રીઓ સહભાગી થશે.

Back to top button
error: Content is protected !!