AHAVADANGGUJARAT

આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાના ગામોમાં રૂ.૨૨.૨૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રસ્તા,માઈનોર બ્રિજ, પ્રાથમિક શાળાના ઓરડા જેવા વિકાસ  કાર્યનું ખાતમુહૂર્ત કરાયું*

વિવિધ વિકાસના કામો થકી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સારી સુવિધા  મળશે – મંત્રીશ્રી નરેશભાઈ

આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ ગામોના રોડ – રસ્તા, ઓરડા અને સામૂહિક શેડના બાંધકામ ના રૂ. ૨૨.૨૬ કરોડના વિકાસ કાર્યોનું  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદશ્રી ધવલ પટેલની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવનિર્મિત વિકાસ કામો ન ખાતમુહૂર્ત  ગ્રામજનોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આ વિકાસ કાર્યો થી  ગામોને ખૂબ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે .  વધુમાં મંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારના લોકોના આરોગ્યની ચિંતા કરતા સિકલસેલ એનિમિયા તથા સ્વસ્થ પોષણ અંગેની અવેરનેસ વિશે પણ જણાવ્યું હતું.

ચીખલી તાલુકાના મોગરાવાડી ગામે ૫૧.૨૫ લાખ , ધોલાર ગામે ૨૭૭.૨૫ લાખ , અગાસી ગામે ૧૧૨.૭૫, ગોડથલ ગામે ૩૦૧.૨૫ લાખ , રૂમલા ગામે ૨૨૨.૩૦ લાખ , ઘેજ ગામે ૭૧૫ લાખ , ચરી ગામે ૩૮૧ લાખ , મજીગામે  મલવાડા ગામે ૬૦ લાખ અને સમરોલી ગામે ૧૦૫ લાખ મળી કુલ ૨૨૨૬ લાખ ( ૨૨.૨૬ કરોડ )ના વિવિધ વિકાસ કામો માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત )ની વિવિધ યોજના હેઠળ ખાતમુહર્ત થયા હતા. ખાતમુહૂર્ત થનાર કામોમ મુખ્યત્વે એમ.એમ.જી.એસ.વાય યોજના હેઠળ રોડ રિસરફેસેનિગ તથા વાઇડિંગ કામો , મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ પ્રાથમિક શાળામાં નવા ઓરડાના કામો, માઇનર બ્રિજના કામો તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સામૂહિક શેડ , ઓરડા તથા રસ્તાની કામગીરી વિવિધ  વિકાસ કામોનો સમાવેશ થયેલા છે. કાર્યક્રમમાં  જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા  ગામોના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!