
તા.૩૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રળીયાતીમાં ખરાબ જગ્યાએ મૂકેલ મૂર્તિઓનું દાહોદ રાષ્ટ્રીય હિન્દુ સંઘ કાર્યકર્તાઓ દ્વારા વિસર્જન કર્યું
આજ રોજ તા.30-1-2026 ના રોજ એક વિડિઓ દ્વારા માહિતી મળી હતી કે, દાહોદના રળિયાતી વિસ્તારમાં કોઈક મૂર્તિનાં વેપારી દ્વારા ગંદગી આવેલી જગ્યામાં શ્રી ગણેશજી અને દશા માં ની મૂર્તિઓ ખુબજ ખરાબ અવસ્થા માં પડી હતી. તેની માહિતી રાષ્ટ્રીય હિંદુ સંઘ દાહોદ જિલ્લાના ખરજ પ્રખંડ પ્રમુખ નિલેશભાઈ બારીયા ને જાણ થતા, તરતજ બધાજ કાર્યકર્તાઓ દ્વારા મૂર્તિઓને ત્યાંથી કાઢીને વ્યવસ્થિત રીતે દાહોદની નદીમાં વિસર્જન કરવામાં આવ્યું





