મોરબી મનપા કમિશનરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે માન.કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કર્યું હતું, આ મિટિંગમાં નાયબ કમિશનરશ્રી સંજયકુમાર સોની , પશુપાલન અધિક્ષકશ્રી, હળવદ વેટેનરી ઓફિસરશ્રી, ટંકારા વેટેનરી ઓફિસરશ્રી, ANCD વિભાગના શાખા અધ્યક્ષશ્રી હાજર રહયા હતા, આ મિટિંગમાં ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના 16 સંચાલકો હાજર રહ્યા હતા. ગૌશાળા ના સંચાલકોઓએ અંદાજીત 55 પશુ રાખવા માટેની બાહેંધરી આપી હતી, માર્ચ 2025 થી આજદિન સુધી કુલ 2452 મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ પશુ પકડેલ છે. આ પશુ ને Taging અને RFID લગાવીને મોરબી જિલ્લા ના હળવદ, ટંકારા, મોરબી, વાકાનેર તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળ માં કાયમી સાચવણી માટે મૂકવામાં આવ્યા છે, મોરબી મનપાની ANCD શાખા દ્રારા નિયમિત પશુ પકડવાની કામગીરી કાર્યરત છે. તેમ મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.









