GIR SOMNATHPATAN VERAVAL

ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો, 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ જાહેર

ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કુલ 42 આરોપીમાંથી 5 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે. વેરાવળ કોર્ટ આવતીકાલે મંગળવારે દોષિતોને સજા સંભળાવશે.

મુખ્ય 5 આરોપીઓને દોષિત

-રમેશ જાદવ

-રાકેશ જોશી

-પ્રમોદ ગૌસ્વામી

-નાગજી ડાયા

-બળવંત ગૌસ્વામી

તારીખ 11 જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો તેમ કહી ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જયારે કરોડો રુપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું.

Back to top button
error: Content is protected !!