
વિજાપુર શાહી ઈદગાહ ખાતે ભાઈચારા અને એકતાના સંદેશ સાથે ઈદુલ ફિતરની નમાજ અદા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ એક મહિના સુધી રોજા, નફિલ તિરાવીહની નમાજ અને કુરાનની તિલાવત કર્યા બાદ ઈદનો ચાંદ દેખાતા શનિવારે સવારે વિજાપુરની શાહી ઈદગાહ ખાતે ઉમટી પડી ઈદુલ ફિતરની નમાજ અદા કરી હતી.
આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદે ઉપસ્થિત સમાજજનોને સંબોધતા મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
નમાજ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવી શુભેચ્છાઓ આપી હતી. ઈદના પવિત્ર પ્રસંગે દેશની એકતા, અખંડતા અને સમાજમાં સૌહાર્દ જળવાઈ રહે તે માટે દિલથી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
આ રીતે ઈદુલ ફિતરનો તહેવાર ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી થઈ હતી, જેમાં ભાઈચારો અને એકતાનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો હતો.







