MORBI:મોરબી: શહીદ દિવસ નિમિત્તે અમર જવાન ગણેશ પરમારના પરિવારને 1 લાખની સહાય અર્પણ

MORBI:મોરબી: શહીદ દિવસ નિમિત્તે અમર જવાન ગણેશ પરમારના પરિવારને 1 લાખની સહાય અર્પણ
દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે મોરબી ખાતે ‘કમલમ’ કાર્યાલયમાં શહીદ જવાન ગણેશભાઈ પરમારના પરિવારનું સન્માન કરી આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સહાય સામાજિક કાર્યકર અજયભાઈ લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક પૂર્વ જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને મહામંત્રી ચતુરભાઈ મકવાણાના હસ્તે પરિવારને સોંપવામાં આવ્યો હતો.
સહાય અર્પણ કરવાના કાર્યક્રમની સાથે સાથે કમલમ ખાતે દેશભક્તિના ગીતોનો લાઈવ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ શહીદ જવાનની દેશસેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, શહીદ પરિવારોની સેવા કરવી એ આપણી નૈતિક ફરજ છે.”શહીદોના પરિવારોની પડખે ઊભા રહેવું એ જ સાચી દેશભક્તિ છે.”આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોરબીના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.









