ARAVALLIGUJARATMALPURMODASA

માલપુર –  પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠેથી પાણીનું ઉદ્ધવન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના અનેક તળાવો પાણીથી ભરાશે 

અહેવાલ

અરવલ્લી – હિતેન્દ્ર પટેલ

માલપુર –  પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠેથી પાણીનું ઉદ્ધવન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના અનેક તળાવો પાણીથી ભરાશે

માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના માલપુરમાં કાર્યક્રમ યોજાયો

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠેથી પાણીનું ઉદ્ધવન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના અનેક તળાવોને ભરવા અને વ્યાપક સિંચાઈની સુવિધા પૂરી પાડવાના રૂ. ૧૬૧.૫૯ કરોડના ખર્ચેના મહત્વાકાંક્ષી પાણી ઉદ્ધવન યોજનાનો ઇલોકાર્પણ સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લામાં આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના માનનીય મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં માલપુર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.માનનીય મંત્રી એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ યોજના થકી સ્થાનિક ખેડૂતોને વર્ષના વધુ સમય સુધી સિંચાઈની સતત અને વિશ્વસનીય સુવિધા મળશે. તેનાથી કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે, પાકની વિવિધતા વધશે અને ખેડૂતોની આવકમાં સુધારો થશે. આ યોજના અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે અને વિસ્તારના સમગ્ર કૃષિ વિકાસને નવી ગતિ આપશે.

આ પાણી ઉદ્ધવન યોજના ગુજરાત સરકારની કૃષિ વિકાસ અને પાણી વ્યવસ્થાપન પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી આવી વિવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ યોજના અરવલ્લી જિલ્લાના ખેડૂતોના જીવનસ્તરને ઉન્નત બનાવવા સાથે જ વિસ્તારમાં પાણીના સંરક્ષણ અને સમાન વિતરણના હેતુને પણ મજબૂત કરશે.

કાર્યક્રમમાં ધવલસિંહ ઝાલા, માન. ધારાસભ્ય, ૩૨-બાયડ વિધાનસભા મતવિસ્તાર; ભીખુસિંહ પરમાર, માન. ધારાસભ્ય, ૩૨-મોડાસા વિધાનસભા મતવિસ્તાર; ભીખાજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ, અરવલ્લી; પી.સી. વ્યાસ, સચિવ, જળ સંપત્તિ વિભાગ; દિપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી, અરવલ્લી, આર.એમ. પટેલ, મુખ્ય ઇજનેર અને અધિક સચિવ, મધ્ય ગુજરાત ડી.વી. મકવાણા, નિવાસી અધિક કલેકટર, અરવલ્લી આર.એન. કુચારા, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અરવલ્લી તથા અન્ય અનેક વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક જનમેદનીએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે સ્થાનિક લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ આ યોજનાને ગુજરાત સરકારની કલ્યાણકારી અને વિકાસલક્ષી નીતિનું સારું ઉદાહરણ ગણાવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!