નસવાડીના ડુંગરાળ પંથકમાં ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ: પરિક્રમાવાસીઓ માટે બબલુભાઈ જયસ્વાલના અથાગ પ્રયાસ બાદ કૈલાશ ફાઉન્ડેશન બન્યું ‘સહારો’

મુકેશ પરમાર નસવાડી
નર્મદા મૈયાની પરિક્રમા કરી રહેલા લાખો શ્રદ્ધાળુઓ જ્યારે નસવાડી તાલુકાના દુર્ગમ અને પહાડી રસ્તાઓ પરથી પસાર થાય છે, ત્યારે તેમની આ આકરી તપસ્યામાં વડોદરાનું કૈલાશ ફાઉન્ડેશન અને સ્થાનિક અગ્રણી બબલુભાઈ જયસ્વાલ ખરા અર્થમાં ‘સેવાભાવી સારથી’ સાબિત થયા છે. રતનપુરા (ક) ગામે માનવતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતા આ જૂથે પવિત્ર પરિક્રમાવાસીઓ માટે જીવનજરૂરી ચીજવસ્તુઓનો અવિરત પ્રવાહ શરૂ કર્યો છે.નસવાડીનો આ પંથક ભૌગોલિક રીતે અત્યંત વિષમ છે, જ્યાં પાયાની સુવિધાઓ પહોંચાડવી પણ એક પડકાર છે. આવા સમયે સેવાભાવી દત્તભાઈ અને તેમના ટ્રસ્ટ દ્વારા પરિક્રમા માર્ગ પર અનાજ, તેલ અને શાકભાજી જેવી ખાદ્ય સામગ્રી વિપુલ પ્રમાણમાં પૂરી પાડવામાં આવી રહી છે. ભોજનની સાથે સાથે શ્રદ્ધાળુઓને આરામદાયક ઊંઘ મળી રહે તે માટે ગાદલા અને ધાબળાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.શ્રદ્ધાળુઓને ભટકવું ન પડે તે માટે કૈલાશ ફાઉન્ડેશન દ્વારા વ્યુહાત્મક રીતે ત્રણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે:સ્થાનિક કાર્યકર બબલુભાઈ જયસ્વાલે ફાઉન્ડેશનનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ કોઈ એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ દત્તભાઈ અને તેમના ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે આ જવાબદારી નિભાવવામાં આવી રહી છે. સંપૂર્ણ અનાજની જવાબદારી ફાઉન્ડેશને સ્વીકારી લેતા પરિક્રમાવાસીઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.”સેવા એ જ પરમો ધર્મ”ના મંત્રને આચરણમાં મૂકતી આ પ્રવૃત્તિએ સમગ્ર ગુજરાતમાં નસવાડી પંથકનું નામ સેવાના નકશા પર અંકિત કર્યું છે.




