MORBI:મોરબીના શ્રી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ૭ દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન

MORBI:મોરબીના શ્રી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ૭ દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન
મોરબી: મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજી દ્વારા સંસ્થાપિત શ્રી ખોખરા હનુમાનજી મંદિર (બેલા–ભરતનગર રોડ) ખાતે પૂજ્ય મા દ્વારા સંચાલિત ‘કેશવ કાયાકલ્પ કેન્દ્ર’ દ્વારા આગામી તારીખ ૦૯/૦૪/૨૦૨૬ થી ૧૫/૦૪/૨૦૨૬ દરમિયાન એક વિશેષ નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં ગ્રીન ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ભોજન પ્રથા (Natural Diet System) અને પ્રાકૃતિક આહાર દ્વારા દવાઓ વગર સ્વાસ્થ્ય સુધારવાનો છે. ૭ દિવસની આ સંપૂર્ણ નિઃશુલ્ક શિબિરમાં વજન ઘટાડવા, શરીરને ડિટોક્સ કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માંગતા લોકો લાભ લઈ શકશે.શિબિરના સમયપત્રક મુજબ, સવારે ૬ વાગ્યાથી યોગ-પ્રાણાયામ સાથે દિવસની શરૂઆત થશે, ત્યારબાદ તજજ્ઞોના પ્રવચન, ગ્રીન જ્યુસ, ફળાહાર અને રસાહારનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે રાસ-ગરબા જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે. થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવી બીમારી ધરાવતા લોકોએ પોતાના રિપોર્ટ સાથે રાખવા તથા અસાધ્ય બીમારીના કિસ્સામાં અગાઉથી જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
મોરબીની જનતાને આ સોનેરી તકનો લાભ લઈ સ્વસ્થ જીવન તરફ ડગ માંડવા માટે આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










