MORBI:મોરબી સાયબર ફ્રોડ કેસ: ગીરીરાજસિંહ જાડેજાના રેગ્યુલર જામીન મંજૂર




મોરબી એ. ડીવી.પોસ્ટે ના ચકચારી સાઇબર ચીટીંગ અને ફ્રોડ ના ગુનાના કામ ના આરોપી ગીરીરાજસિંહ જાડેજા ના રેગ્યુલર જમીન મંજુર કરાવતા વકીલ શ્રી (દેવ)ડી. કે.જોષી

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન માં સાઇબર ફ્રોડ અને ચીટીંગ ના ગુના કરતી ટોળકી સામે સાઇબર ફ્રોડ અને ચીટીંગ કરેલ તેવી નોંધાયેલ ફરિયાદ /F.I.R.ના આધારે આરોપી ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા ને મોરબી પોલીસ એ અટક કરેલ.

આ કામ ના આરોપી એ આ ટોળકી ના સભ્ય રહી ફ્રોડ ના પૈસા સગે વાગે કરવા માં મદદ કરેલા હોય તેવો ફરિયાદ માં આકક્ષેપ કરેલ હોઈ ત્યાર બાદ આરોપી દ્વારા તેમના *વકીલ શ્રી (દેવ) ડી. કે. જોષી* મારફત નામ. હાઈ કોર્ટ માં જામીન અરજી કરતા આરોપી ના જામીન મંજુર કરવામાં આવેલા
જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર હાઈ કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે મોરબી ના *યુવા વકીલ શ્રી (દેવ ) ડી. કે. જોષી તથા એસ. ડી. મોઘરીયા* રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્વાન વકીલ શ્રી એસ. ડી. મોઘ રીયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામ. સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરવામાં આવ્યા હતા જે ધ્યાને લઇ નામ. ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી (દેવ) ડી. કે. જોષી તથા એસ. ડી. મોઘ રીયા રોકાયા હતા.



