AMRELI CITY / TALUKORAJULA

રાજૂલા મા શંખેશ્ર્વરી માતાજી નો પાટોત્સવ ઉજવાયો

અનેક અગ્રણીઓએ આપી હાજરી

રાજૂલા મા શંખેશ્ર્વરી માતાજી નો પાટોત્સવ ઉજવાયો.
——————————————


રાજુલામા શહેર માં દર વર્ષની માફક આ વર્ષે પણ શંખેશ્ર્વરી માતાજી નો 36 પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. પાટોત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ વિદેશો મા વસતા કપોળ વણિક પરીવાર આ પાટોત્સવમાં હાજરી આપે છે વણિક પરિવાર ના કૂળદેવી એવા શંખેશ્ર્વરી માતાજી નો દર વર્ષે પાટોત્સવ ઉજવવામા આવે છે. જેમાં બહોળી સંખ્યા મા ભક્તો હાજર રહે છે.
પાટોત્સવ મા નવગ્રહ હોમ હવન શક્તિ પૂજા, બ્રમ્હ ભોજન, ગૌરણી નુ જમણવાર તેમજ સાંજે મહાપ્રસાદ સહિત ધાર્મિક ઉત્સવ ઉજવવામા આવ્યા .મુંબઈ સ્થિત વણિક શ્રેષ્ઠીઓ મનોજભાઈ વળીયા, અનુપભાઈ હાજર હતા સ્થાનિક વણીક શ્રેષ્ઠીશ્રી મનોજભાઈ સંઘવી, ભરતભાઇ સંઘવી, ધરમદાસ ભાઈ મુંબઈ, કમલેશભાઈ સંઘવી તેમજ સ્થાનિક અગ્રણીઓ મનુભાઈ ધાખડા, કનુભાઈ વરુ પત્રકારશ્રી,યોગેશભાઈ કાનાબાર (કાનાબાર ન્યુઝ )કવિશ્રી શશિભાઈ રાજ્યગુરુ,સહિત વિશાળ ભાવિકો હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ દરમિયાન તમામ દાતાઓનું તેમજ કાર્યકરો નું સન્માન પણ કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!