દીઓદર ના કોટડા (દિ.)ના તલાટી નો વિદાય સમારંભ યોજાયો.
દીઓદર તાલુકાના ફોરણા ના મૂળ વતની જયંતીલાલ શીવાભાઈ પ્રજાપતિ

દીઓદર ના કોટડા (દિ.)ના તલાટી નો વિદાય સમારંભ યોજાયો.
દીઓદર તાલુકાના ફોરણા ના મૂળ વતની જયંતીલાલ શીવાભાઈ પ્રજાપતિ સોની હાઈસ્કૂલ ખાતે અભ્યાસ સાથે રમત ગમત શોખ અને દેશની સેવા કરવાની ભવનાથી ૧૯૯૫ મા લખનઉં ખાતે સેનામાં જોડાઈ દેશ સેવાની શરૂઆત કરેલ.અબ્દુલ કલામના “મિશન અગ્નિ ટુ”ના પરીક્ષણમાં સેવાનો અવસર મળ્યો.૧૯૯૯માં કારગીલ ઓપરેશન વિજય તથા ૨૦૦૦ માં ઓપરેશન પરાક્રમમાં અટારી બોર્ડર ૨૦૦૩ માં જમ્મુ કાશ્મીરમાં કાલુ ચોક અને આખનુર આતંકવાદી હુમલાથી સાથીદારોનો સાથ છૂટવાથી ખૂબ દુઃખની લાગણી અનુભવી તેના પછી ધાંગધ્રા લેહ અરૂણાચલ પ્રદેશથી વર્ષ ૨૦૧૩ ના સપ્ટેમ્બરમાં નિવૃત્તિ લીધી અને ૨૦૧૪ માં તલાટી કમ મંત્રી ની સફર કાંકરેજ તાલુકા માંથી શરૂ કરી દિયોદર તાલુકામાં પ્રથમ બદલી ચીભડા ૨૦૧૫ ના પૂરની પરિસ્થિતિ સાથે સંઘર્ષ અને ૨૦૧૭ મા ધનકવાડા ખાતે કોરો ના કાળની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કર્યા બાદ ૨૦૨૨માં કોટડા (દિ.)ખાતે તલાટી કમ મંત્રી તરીકેની સેવા આપતાં શરૂઆત મા પેટ્રોલ પંપ કોર્ટ કેસ રેલ્વે પુલ ના પ્રશ્ન પડકાર જનક હતા સાથે પીવાના પાણીની સમસ્યા જેવી વિકટ પરિસ્થિતિમાં ૨૦૦૯ માં મંજુર થયેલ ગામતળમાં મફત પ્લોટ ફાળવવાની કામગીરી કટેલ નવાવાસ ખાતે પાણીની ખુબ તકલીફ પણ સર ના સહયોગથી નવિન બોરની મંજુરી મળતા નવા વાસમાં અને અજમલપુરા પ્રા.શાળામાં પીવાના પાણીનું નિરાકરણ કરેલ.અજાપુરા સુધી પાકા ડામર રોડ તળાવ ઊંડા કરવાની કામગીરી,વનીકરણ રમતગ મતનું મેદાન,લાઈબ્રેરી, સ્ટ્રીટ લાઈટ, કેમેરા,પી.એમ. આવાસ યોજના વગેરેમા જેમણે સંપૂર્ણ નિષ્ઠા તેમજ કર્તવ્યસભર ફરજ બજાવી ચૂકેલ અને હાલ ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.- ઓ.સોસાયટીમા પ્રમુખ તરીકે સેવા આપતાં નિવૃત ઈન્ડિયન આર્મી જયંતીભાઈ પ્રજાપતિ નો ગામલોકો દ્વારા ૧૯ મી મે ૨૦૨૬ ના રીજ વિદાય સમારંભ રાખવામાં આવ્યો ત્યારે ત્યારે ગામના સરપંચ વર્ષાબેન ઠાકોર,પૂર્વ સરપંચ અને ડેલિકેટ બાબરાભાઈ પટેલ,પૂર્વ સરપંચ મફાજી સાપાવડિયા,પૂર્વ સરપંચ શકરાબા પરમાર,બ.કાં.જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ પટેલ,દીઓદર તાલુકા પંચાયત સદસ્ય પરાગભાઈ જોશી, તાલુકા વિકાસ અધિકારી, વિક્રમભાઈ ચૌહાણ,પ્રકાશભાઈ પ્રજાપતિ કસલપુરા,તલાટી મંડળ સહીત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી ફુલહાર પહેરાવી ફેંટો બાંધી મોમેન્ટો દ્વારા વિદાય આપેલ ત્યારે જયંતભાઈ પ્રજાપતિ એ દરેકનો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





