MORBI:મોરબીમાં મચ્છરજન્ય રોગોને ડામવા મહાનગરપાલિકા એક્શન મોડમાં: વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને દવા છંટકાવ







MORBI:મોરબીમાં મચ્છરજન્ય રોગોને ડામવા મહાનગરપાલિકા એક્શન મોડમાં: વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને દવા છંટકાવ



ઉનાળાની ઋતુ અને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પાલિકાની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને જંતુનાશક દવાઓનો છંટકાવ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વિવિધ સોસાયટીઓમાં ઘર મુલાકાત અને એબેટ કામગીરી
મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા શહેરના જાનીશેરી, નાગનાથશેરી, પ્રજાપત સોસાયટી અને દેરાસર શેરી જેવા વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ઘરોમાં રાખવામાં આવેલા પાણી ભરેલા પાત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. પાણીના પાત્રોમાં મચ્છરોના પોરા (લાર્વા) ઉત્પન્ન થતા અટકાવવા માટે ટીમો દ્વારા એબેટ કામગીરી (પોરાનાશક દવા નાખવાની કામગીરી) કરવામાં આવી હતી.

જળાશયો અને ગટરોમાં દવાનો છંટકાવ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે પાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોટા સ્ત્રોતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં:વીસીપરા વોકળા, રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે વિશેષ દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત મોચીશેરી, પખાલીશેરી તથા વેરાઈશેરીની ગટરોમાં પણ મચ્છરનાશક દવાઓનો મોટા પાયે છંટકાવ કરીને મચ્છરોનો નાશ કરવાની કામગીરી કરાઈ હતી.આરોગ્ય અધિકારીની નાગરિકોને અપીલ: આટલી તકેદારી ચોક્કસ રાખો મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જાહેર જનતાને મચ્છરજન્ય રોગોથી બચવા માટે નીચે મુજબની સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે:
પાણીના પાત્રો: ઘર વપરાશના પાણીના તમામ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. પક્ષીકુંડ, ફુલદાની વગેરેને દર અઠવાડિયે બરાબર ઘસીને સાફ કરવા અને સુકવ્યા બાદ જ ફરી ઉપયોગમાં લેવા. મકાનની છત પર પાણી ભરાઈ રહે તેવા બિનજરૂરી ટાયર, ખાલી ડબ્બા કે અન્ય પાત્રોનો તાત્કાલિક નિકાલ કરવો. સાંજના સમયે ઘરના બારી-બારણાં બંધ રાખવા, રાત્રે મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો અને મચ્છર કરડે નહીં તે માટે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા. ઘરની આજુબાજુ ભરાઈ રહેલા બંધિયાર પાણીનો નિકાલ કરી તેને વહેતું કરી દેવું.: જો કોઈ પણ નાગરિકને તાવના લક્ષણો જણાય, તો વિલંબ કર્યા વગર તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી જરૂરી સારવાર કરાવી લેવી.



