બ્રાહ્મણ સોની સમાજ (પાંચ પટ્ટી)ઢીમા ખાતે સ્નેહ મિલન આયોજન અંગે મિટિંગ યોજાઈ

2 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બ્રાહ્મણ સોની સમાજ (પાંચ પટ્ટી)ઢીમા ખાતે સ્નેહ મિલન આયોજન અંગે મિટિંગ યોજાઈ.ઢીમા ખાતે શ્રી બ્રાહ્મણ સોની સમાજ ધર્મશાળામાં સમાજના સ્નેહ મિલન કાર્યક્રમના આયોજન અંગે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. મિટિંગમાં સમાજના વડીલો, આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મિટિંગ દરમિયાન સમાજમાં એકતા, સંગઠન અને પરસ્પર સ્નેહ વધે તે હેતુથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોએ પોતાના સૂચનો, અભિપ્રાયો અને વિચારો રજૂ કર્યા હતા. સમાજના વિકાસ, યુવાનોની ભાગીદારી, વડીલોના માર્ગદર્શન તથા આગામી પેઢીને સમાજ સાથે જોડવા જેવા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
વક્તાઓએ જણાવ્યું હતું કે સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધવાનો પ્રયાસ છે. કાર્યક્રમ દ્વારા સમાજના વિવિધ વિસ્તારોમાં વસતા પરિવારો વચ્ચે પરિચય અને સંબંધો વધુ મજબૂત બનશે.મિટિંગ અંતે ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા સૌએ સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ 




