NAVSARIVANSADA

વાંસદામા શક્કરપુર લેવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલબેગ અને બોલપેનનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા: શિક્ષણ ક્ષેત્રે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં શ્રી શક્કરપુર લેવા પાટીદાર વિદ્યોતેજક મંડળ એકડા પંચ દ્વારા વાંસદા ખાતે વિદ્યાર્થીઓ માટે નોટબુક, સ્કૂલબેગ અને બોલપેન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો.

આ સેવાકીય કાર્ય દાનવીર ભાઈલાલભાઈ બેચરભાઈ પટેલ તથા કમલાબેન ભાઈલાલભાઈ પટેલના સૌજન્યથી તેમજ **ઇન્દ્રવદન બર્માવાલા (અમેરિકા), યોગીનીબેન મનોજભાઈ પટેલ, મનોજભાઈ ચુનીલાલ પટેલ (વિશાલ પટેલ પરિવાર), શંકરભાઈ નાથાલાલ પટેલ (અમેરિકા), સુરેશભાઈ અંબાલાલ પટેલ (મિતેશ પી. પટેલ પરિવાર – અમેરિકા), પન્નેશભાઈ મોહનભાઈ પટેલ (હનીશભાઈ પી. પટેલ પરિવાર – હોંગકોંગ), શશીકાંતભાઈ ગોકળદાસ પટેલ (રાહુલભાઈ એસ. પટેલ પરિવાર – અમેરિકા), લક્ષ્મીદાસ કરશનદાસ પટેલ પરિવાર, રમણભાઈ લક્ષ્મીદાસ પટેલ (લક્કડશેરી) તથા કેવલભાઈ જયંતીભાઈ પટેલ (મુંબઈ)**ના સહયોગથી સફળ બન્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુક, સ્કૂલબેગ અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંસદા પાટીદાર સમાજના અગ્રણી ભૂપેન્દ્રભાઈ પટેલ, જયદીપભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ સહિત સમાજનું મહિલા મંડળ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.

સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધનો પૂરા પાડીને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

કાર્યક્રમના અંતે સમાજના સભ્યો દ્વારા તમામ દાતાશ્રીઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, સામાજિક એકતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો હતો.

Back to top button
error: Content is protected !!