TANKARA:નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ટંકારામાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ




TANKARA:નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ટંકારામાં યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર એક પ્રેરણાદાયી અને ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેશભરમાં 65 થી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વૃક્ષારોપણ, દિવ્યાંગ બાળકોને ભોજન, પુસ્તકો અને સ્ટેશનરી કીટનું વિતરણ તથા ફ્રી મેડિકલ કેમ્પ જેવી વિવિધ માનવસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ જ શૃંખલાના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા ખાતે પણ એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ: 11 જુલાઈ 2026, શનિવાર સમય: બપોરે 03:30 થી સાંજે 07:30 સુધી સ્થળ: દેવકુંવર શૈક્ષણિક સંકુલ, ટંકારા આયોજક: શ્રી ખોડલધામ પરિવાર (મોરબી જિલ્લા) અને શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ (ટંકારા)
શ્રી ખોડલધામ સમિતિ મોરબી જિલ્લા અને સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, આ સેવાકાર્યમાં ભાગીદાર બનવા માટે તમામ સેવાભાવી નાગરિકો અને રક્તદાતાઓને પોતાના મિત્ર વર્તુળ સાથે પધારવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. આપનું એક યુનિટ રક્ત, કોઈકનો અમૂલ્ય જીવ બચાવી શકે છે.



