GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પેઢલા-કેરાળા-ભાદરા રોડ પર વાહનવ્યવહાર પુન: શરૂ; ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી પૂર્ણ

તા.૨૪/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા એન.એચ. ટુ પેઢલા-કેરાળા-ભાદરા રોડ પર ચેઇનેજ ૭/૮૦૦ ખાતે આવેલા કોઝવે પર ફસાયેલા ઝાડી-ઝાંખરા તથા કચરો દૂર કરવાની સાફ-સફાઈ કામગીરી પૂર્ણ કરી માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વરસાદમાં રસ્તા પર સાવચેતીપૂર્વક વાહન ચલાવે અને પોતાની તેમજ અન્યોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઇએ.

Back to top button
error: Content is protected !!