
કેશોદ ના અજાબ ગામે ગ્રામ પંચાયત સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ના પટાંગણમાં ઉપ સરપંચ અભય વ્યાસ ના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં ગામ ની વિવિધ શાળા ઓનાં વિધાર્થી ભાઈ બહેનો તેમજ સ્ટાફ આચાર્યશ્રીઓ ગામના નગરજનો અને સરપંચ મગનભાઈ અધેરા, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ ભુત, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ દયાતર તેમજ જીલ્લા પંચાયત સદસ્ય વિનોદભાઈ માકડિયા અને વિવિધ સામાજિક સંસ્થાઓ ના પ્રતિનિધિ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ના આચાર્ય શ્રી શિક્ષક મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આઝાદી ના લડવૈયા ઓ અને દેશ કાજે સહિદવિરો ને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી મહા મુલી આઝાદી નું જતન કરવા અને દેશ ને મજબુત કરવા માટે આજના સમયે શિક્ષણ જ શ્રેષ્ઠ છે તેવું જણાવ્યું હતું કાર્યક્રમ માં મુળુભાઇ મેતા એ સ્વાગત પ્રવચન કરી સહુ ને આવકાર્યાં હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




