મહુધા તાલુકાના નાની ખડોલ, રુપપુરા, બલોલ, કપરુપુર જેવા ગામોમાં છ માસ અગાઉ ચાલુ કરવામાં આવેલ કિશાન સર્વો દય યોજના કોઈ પણ જાત ની વિના અચાનક મધ્ય ગુજરાત વિજ કપની એ બંધ કરવામાં આવતાં સિંચાઈ માટે દિવસે અપાતી વિજળી રાત્રે કરી નાખવામાં આવે છે. જેથી ઠંડી વેઠવી ને પણ પાક બચાવવા માટે સિંચાઈ માટે પાણી લેવા ફરજ પડે છે. બે વર્ષ અગાઉ સરકાર દ્વારા કિશાન સર્વોદય યોજના અમલમાં મૂકી હતી. પરંતુ કયા કારણસર યોજના બંધ કરવા માં આવી છે તે અંગે ખેડૂતો પણ મૂંઝવણ મુકાયા છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે કપરુપુર ગામના ડે.સરપંચ દ્વારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા ને લેખિત માં રજુઆત કરવા માં આવેલ છે.
રહીમ ચૌહાણ
મહુધા