BANASKANTHATHARAD
આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3 માં બેલ્ગેસ કાર્યક્રમ અંતર્ગત માર્કેટયાર્ડ બનાસબેંક તથા ખેતરની મુલાકાત
2 માર્ચ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદની આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3 ના ધોરણ 8 ના 126 વિધાર્થીઓ અને શિક્ષકોએ બેગ્લેસ કાર્યક્રમ અંતર્ગત થરાદ માર્કેટ યાર્ડ, બનાસબેંક, ખેતર તેમજ કુંભારના વ્યવસાય અંગે પ્રત્યક્ષ મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન માર્કેટયાર્ડના સેક્રેટરી શ્રી ભેમજી ભાઈ પટેલ દ્વારા સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં અનાજના લેવેચની હરાજીની પ્રક્રિયા રૂબરૂ નિહાળી હતી. ત્યારબાદ જગદીશભાઈ વાણિયાના ખેતરની મુલાકાત કરવામાં આવી. જેમાં ખેતરના વિવિધ ઓજારો અને પાક વિશેની સરસ માહિતી આપવામાં આવી સાથે સાથે શાળામાં આચાર્યશ્રી એમ. કે.મણવર દ્વારા બસની સુવિધા પૂરી પાડવા બદલ ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સના દ્રસ્ટ્રીગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો