MEHSANAVIJAPUR

વિજાપુર ના સરદારપુર ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

વિજાપુર ના સરદારપુર ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આવેલ રામ કબીર મંદિર ના પટાંગણ માં સ્વ રઈબેન ગોવિંદભાઇ પટેલ (ફુદડીયા પરિવાર ) દ્વારા સાતમી પૂર્ણય તિથિ નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટ તેમજ ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા ના સહકાર થી કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ના નામી ડોકટરોએ ઉપસ્થિત રહીને સેવાઓ પૂરી પાડી હતી તાલુકાના આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ આ કેમ્પ માં લાભ લીધો હતો આ કેમ્પમાં હાડકાના દુઃખાવા તેમજ આંખો ની તકલીફ વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ દર્દીઓને યોગ્ય ઈલાજ ડોક્ટરો ની ટીમે કર્યો હતો લોકોએ મોટી સંખ્યામાં કેમ્પ નો લાભ લીધો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!