છોટાઉદેપુર ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયનો લોકાર્પણ સમારોહ તથા પુસ્તક પ્રદર્શન યોજાયો
આજરોજ તા. ૨૨મી, માર્ચના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર ખાતે કલબ રોડ પર આવેલા યાત્રી ભવન ખાતે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં સરકારી જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ અને તેમજ આઝાદીને લગતા પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા છોટાઉદેપુર ખાતે શરૂ કરવામાં આવેલ જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ યુવાઓને આઝાદીની ચળવળ અંગે જાણકારી મળી રહે તે માટે આઝાદીને લગતા પુસ્તકોનું પ્રદર્શન ધારાસભ્યના હસ્તે ખુલ્લું મુકાયું હતું
આઝાદી કા અમૃત મહોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત નવા પુસ્તકાલયના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જીલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઈ રાઠવા, પુર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત અધિકારી ઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.