માળીયા હાટીના માં મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતી ની હાટી ક્ષત્રિય સમાજ દ્વારા ધામ ધૂમથી ઉજવણી
ભારત દેશના મહાન યોદ્ધા એવા મહારાણા પ્રતાપસિંહજી ની 483 મી જન્મ જયંતી અને માળીયા હાટીના માં મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમાનું અનાવરણ કરેલ છે એને આજે છ વર્ષ પૂર્ણ થતા માળીયા હાટીના માં હાટી ક્ષત્રીય સમાજ અને હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપસિંહજી નો જન્મ ઉત્સવ ખૂબ જ ધામ ધૂમથી ઉજવાયો છે સાંજે 4 વાગે રેલવે સ્ટેશન પાસેથી ડીજે બેન્ડ પાર્ટી સાથે બાઈક રેલી ઘોડેસવારો સાથે એક વિશાળ શોભાય હતા કેસરિયા સાફા સાથે શહેરમાં નીકળીને સ્ટેશન દરવાજા ચોકમાં મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમાને હાટી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા હાર તોરા કરી જય ઘોષ સાથે આ શોભાયાત્રા સંકીર્તન રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી
આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાટી ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો કેસરી સાફા પહેરી ને મોટી સંખ્યામાં જોડાયા હતા
રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના
મો..9510435234