થરાદના કમાળી ગામે ત્રિ-દિવસીય સંત શ્રી સવા રામ બાપા ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
થરાદ તાલુકાના કમાળી ગામે સંત શ્રી સવા રામ બાપા ની સમાધિ આવેલી છે જેમનું નવીન મંદિર બનતા સવા રામ બાપા ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન સમસ્ત કમાળી ગ્રામ જનો દ્વારા કરવામાં આવ્યું જેમાં મહંત પૂ. સદાનંદ ગીરી મહારાજ(ગંગુપિયા ધામ, પોથાવાડા), મહંત પૂ જાનકીદાસજી મહારાજ (રામ આશરા, ઢીમા), સાધ્વી શ્રી સીતાગીરીજી (ચડાર નાડી, સાકડ), સમાજ ના આગેવાન શ્રી માવજીભાઈ સી પટેલ (પુર્વ ધારાસભ્ય શ્રી વાવ/થરાદ), શૈલેશભાઈ પટેલ(ડિરેક્ટર શ્રી બનાસ બેંક), હરજીવનભાઈ પટેલ (પુર્વ ધારાસભ્ય શ્રી ધાનેરા)ની સાથે સાથે માંગીલાલ પટેલ (પુર્વ ચેરમેન શ્રી શિક્ષણ વિભાગબ.કા), ભીખાભાઈ પટેલ,ગોવાભાઇ પટેલ , ગામ ના સરપંચ,સેવા સહકારી મંત્રી શ્રી ની ઉપસ્થિતિ મા યોજાયો. જેમા રાત્રે બાળ કલાકાર શ્રી નરેશભાઈ ચૌધરી દ્વારા સુંદર ભજનોની રમઝટ બોલાવાઇ.