BANASKANTHAPALANPUR

ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી 

4 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં જીવદયા પ્રેમી તરીકે જાણીતા ઠાકોરદાસ ખત્રી જેઓ પશુ પંખીઓ માટે તો સેવાકીય પ્રવુતિઓ કરતા જ હોઈ છે સાથે સાથે અન્ય સેવાઓ પણ પૂરી પાડે છે ત્યારે તારીખ ૦૨ જૂન ના રોજ બપોરે અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ફોટો પોઇન્ટ જગ્યા પર થી ઠાકોરદાસ ખત્રીને એક મોબાઈલ મળેલ ત્યાર બાદ તેઓએ વોટ્સેપ ગ્રુપમાં ખોવાયેલ મોબાઈલની જાહેરાત કરી શોસિયલ મીડિયાની મદદ થી મૂળ માલિકને શોધવાના પ્રયત્નો કર્યા છેવટે મોબાઈલના મૂળ માલિક ગાંધીનગરમાં રહેતા અમૃતભાઈ પટણી ને શોધી કાઢ્યા હતા ત્યાર બાદ તેમના મિત્ર ગીરીશભાઈ પરમાર ને પાલનપુરમાં પવન ફૂટવેર દુકાનમાં મોબાઈલ પરત કરી ઠાકોરદાસ ખત્રીએ માનવતા મહેકાવી હતી.

Back to top button
error: Content is protected !!