ગામ લોકોએ ચાંદીની મૂર્તિ શિક્ષકને સ્મૃતિભેટ આપી, ગામ લોકો શિક્ષક ભાવુક થયા
શિક્ષકે પણ તેમની કર્તવ્ય નિષ્ઠા નિભાવી હોય ગામલોકોમાં શિક્ષક પ્રિય બન્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની વિરુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ જીલ્લા ધાનેરા તાલુકાના ચમનપુરા શાળા ફેરબદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો પ્રથમ સરસ્વતી માતાને દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 10 વર્ષથી વિરુવાડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને ગામ લોકો સાથે સ્નેહ સભર સબંધ બંધાયા હતા. તેમજ શિક્ષકે પણ તેમની કર્તવ્ય નિષ્ઠા નિભાવી હોય ગામલોકોમાં શિક્ષક પ્રિય બન્યા હતા, ત્યારે તેમના વિદાય પ્રસંગને યાદગાર બનાવવા ગામલોકોએ ભવ્ય વિદાય સમારંભ રાખ્યો હતો.
આ પ્રસંગે ગામના આગેવાનોએ શિક્ષક સંકેત રમેશભાઈ જોશી કર્તવ્યનિષ્ઠા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના સમર્પણ ભાવને યાદ કરી તેમને બળવતજી ઠાકોર,પૂર્વ સરપંચ અલ્પેશજી ઠાકોર, નેમાભાઈ પ્રજાપતિ, સાગરભાઇ પ્રજાપતિ, રાજુભાઈ દેસાઈ, હરચંદભાઇ પ્રજાપતિ, માલાભાઈ માળી, પારજી ઠાકોર,સરવણજી, દ્વારા શંકર ભગવાન અને પાર્વતી ચાંદીની મૂર્તિ વગરે સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.શિક્ષક સંકેત રમેશભાઈ પણ સાલ ઓઢાડી ગામલોકો તેમજ સાથી શિક્ષકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વાહરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અલ્પેશજી, શિક્ષણ વિજયસિંહ,જયંતીભાઈ,વાહરા અમરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ શાળા કમિટીના સભ્યો, ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકના વિદાય પ્રસંગે વિદ્યાર્થીઓ, ગામલોકો તેમજ વિદાય થઈ રહેલા શિક્ષક ભાવુક થયા હતા.
અહેવાલ ભરત ઠાકોર ભીલડી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.