નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી ખાતે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૈધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદસભ્ય પરબતભાઇ પટેલ અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
લાખણી સહિત સરહદી વાવ- થરાદ વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાના અભાવે આ વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવા બહાર જવું પડતું હતું.જે બાબતે વાલીઓની રજૂઆતો બાદ સરકાર દ્વારા લાખણીમાં વિજ્ઞાન પ્રવાહની શાળા મંજુર કરવામાં આવી હતી. જે શાળાના સંકુલનું બાંધકામ પૂર્ણ થતાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેમણે આ વિસ્તારના હોંશિયાર વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની શાળા ઉપયોગી નીવડશે.તેમ જણાવ્યું હતું.વિજ્ઞાન પ્રવાહની શાળાનું લોકાર્પણ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.