GIR SOMNATHKODINAR

કોડીનારના શ્રી ગાયત્રી કોમ્પુટર ક્લાસિસમાં આંતરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો.

પ્રકાશ મકવાણા
વાત્સલ્ય સમાચાર કોડીનાર

તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સયુંકત ઉપક્રમે કોડીનાર માં આવેલા શ્રી ગાયત્રી કોમ્પુટર ક્લાસિસ માં આવેલા તાલીમ આર્થીઓ ને સમજવામાં આવ્યુ કે સમગ્ર વિશ્વમાંથી ભ્રષ્ટાચારને દૂર કેવી રીતે કરવો, તેમજ આ અંગે ઘણા દેશોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે જેથી લોકોમાં સકારાત્મક પહેલ થાય અને લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપે અને ભ્રષ્ટાચાર કરનારાઓને ખુલ્લા પાડે. ભ્રષ્ટાચાર એ સામાજિક સમસ્યા સામેના સંઘર્ષનો એક ભાગ છે જેનો ઉદ્દેશ ન્યાયી અને પ્રામાણિક સમાજ તરફ પગલાં લેવાનો છે. તેમજ ભ્રષ્ટાચારના હટાવો દેશ બચાવો,જેવા સ્લોગનો આપવામાં આવ્યા.તેમજ તાલીમ અર્થો ને અભ્યાસક્રમ ને અનુલક્ષીને લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ સંચાલક શ્રી પૂર્વાબેન દાહિમા હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!